કોલકાતાના તબીબો પર થયેલા હુમલા સંદર્ભે રાધનપુરમાં તબીબોએ બંધ પાળ્યો

રાધનપુર : પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગત તા.૧૦ જૂનના રોજ દર્દીઓના સગાં-સંબંધીઓ દવારા થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં રાધનપુરના તબીબોએ એક દિવસનો બંધ પાળીને ઇન્ડિયન મેડિકલ એસોશિયેશનના નેજા હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું,જેમાં કોલકાતાના તબીબો પર થયેલા હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો,અને કસુરવારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે હુમલાના વિરુદ્ધમાં તબીબી ઇમર્જન્સી સિવાયની તમામ તબીબી સેવાઓ ૨૪ કલાક માટે બંધ રાખવામાં આવી હતી.આ ઉપરાંત રાધનપુરના તબીબો ઉપર પણ ભવિષ્યમાં આવા હુમલા ના થાય તે માટે ઘટતું કરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોશિયેશનના પ્રમુખ ડો.દિનેશ ભાઇ ઠક્કર, સેક્રેટરી ડો.ખેતશીભાઈ પટેલ, ડો.દેવજીભાઈ પટેલ, ડો.પ્રવીણ ઓઝા,ડો.ભાર્ગવ પટેલ, ડો.વિક્રમ દરજી, ડો.હિમાંશુ શાહ સહીત સિનિયર ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.