બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માત ના બનાવો માં ચિતાજન વધારો થઈ રહેયો છે ત્યારે આજે ડીસા ના વિશ્વકર્મા મંદિર સામે અકસ્માત સર્જાયો હતો જેમાં એક નું ઘટના સ્થળે મોત થયું હતું અને અન્ય એક ને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
અકસ્માત ની વિગતો જોઈએતો બનાસકાંઠા માં માર્ગ અકસ્માત ના બનાવોમાં ચિતાજન વધારો થઈ રહેયો છે ત્યારે આજે હિતેશ અશોકભાઈ પ્રજાપતિ રહે..ચિત્રોડા.અને જીગરભાઈ ઈશ્વરભાઈ પરમાર ઉંમર ૨૫.. રહે ..કાતરવા તે ડીસા ની ડી એન પી આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા હતા આજે બુધવારના રોજ કોલેજ છૂટયા પછી આ બંને મિત્રનું બાઈક લઈ કામ અર્થે ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે જઈ રહ્યા હતા ત્યારે વિશ્વકર્મા મંદિરની સામે બાઈક સ્લીપ ખાતા બાઈક પર સવાર હિતેશભાઈ અશોકભાઈ પ્રજાપતિ અને જીગર ભાઈ ઇશ્વરભાઇ પરમાર બંને રોડ પર પટકાયા હતા હિતેશભાઈ અશોકભાઈ પ્રજાપતિનું ઘટના સ્થળે મોત થયું હતું અને જીગર પરમાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ડીસા પોલીસ સ્ટેશને જાણ કરતા ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને ડીસાની સિવિલ હોસ્પિટલમા પીએમ અર્થે ખસેડાઇ હતી ઉત્તર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.