લુકાના વગદા ગામ પાસે બોલેરો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૭ લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ૧ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પાલનપુર તાલુકાના વગદા-લાલાવાડા રોડ પર બોલેરો ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૭ લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખેસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન દિયોદર તાલુકાના સણાવ ગામના ૩૫ વર્ષીય નાનીબેન મગનભાઈ વાલ્મિકીનું મોત નિપજ્યું હતું.
આમ, પાલનપુર પંથકમાં ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ.ની રહેમ નજર તળે શટલીયા વાહનોમાં ઘેટાં-બકરાની જેમ મુસાફરોની થતી હેરાફેરીને પગલે અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ રહી છે.