ડીસા જીવદયા પ્રેમી હોવાનો દાવો કરતી રાજ્યની ભાજપ સરકારના શાસનમાં અબોલ પશુ જીવોની ખુલ્લેઆમ હત્યા થઇ રહી છે એટલું જ નહીં સરકારે ગુપ્ત. રાહે 50 હજાર ઘેટાં બકરાની દુબઈ નિકાસ કરવાનો નિર્ણય કર્યો છે જેમાંથી 3485 જેટલા ઘેટાં બકરા કચ્છના તુના બનદરે થી બે જહાજમાં રવાના પણ કરી દીધા છે જેથી જીવદયા પ્રેમીઓમાં રોષ છવાયો છે સરકારની આ બેવડી નીતિની ડીસાના જીવદયા પ્રેમી ભરત કોઠારીએ આકરી ઝાટકણી કાઢી છે.