વઢવાણઃ રામપરામાં બે જીગરજાન મિત્રોના મોતથી ચકચાર

.વઢવાણઃ વઢવાણ તાલુકાનાં રામપરા ગામની સીમમાં મંગળવારે મોડી સાંજે નિવૃત પીએસઆઇની વાડી ખેડતા યુવાને તેના જ મિત્રની ધારિયાના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. બાદમાં પોતે પણ વાડીની ઓરડીમાં દોરડું બાંધી ફાંસો ખાઇ લેતા ચકચાર ફેલાઇ છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ ટીમ વાડીએ પહોંચી હતી અને લાશને પોસ્ટપોર્ટમ માટે લઇ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. બે મિત્રો વચ્ચ એવું તો શું બન્યું કે હત્યા કર્યા બાદ મિત્રને પણ મરવું પડે તે અંગે રહસ્ય અકબંધ છે.

વાત એમ છે કે, રામપરા ગામમાં નિવૃત પીએસઆઇની વાડી આવેલી છે. આ વાડી રામપરાના જ કોળી અરવિંદ શાર્દુલભાઇ છેલ્લા ચાર વર્ષથી ખેડતા હતા. ગામમાં જ રહેતો કોળી સંજય સોમાભાઇ અને અરવિંદ બન્ને પોતાની જ્ઞાતિના જ હતા અને ખાસ મિત્રો હતા. પરંતુ આ બન્ને મિત્રોની લાશ નિવૃત પીએસઆઇની વાડીમાંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી. સંજયની લાશ લોહીલુહાણ હાલતમાં ખાટલામાં પડી હતી. જ્યારે વાડી ખેડનાર તેના મિત્ર અરવિંદની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં ઓરડીમાં લટકતી હોવાની ગામમાં જાણ થતા દેકારો મચી ગયો હતો. બનાવની ગંભીરતા પામી જોરાવરનગર પીએસઆઇ આર. એ. ઝાલા, બીટ જમાદાર રમેશભાઇ પટેલ સહિતના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બારણુ તોડીને બન્ને લાશ બહાર લાવી કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ બન્ને મિત્રના મોત શા માટે થયા, તેમની વચ્ચે એવું તો શું ઘટના બની કે, એકને પોતાના જ મિત્રની હત્યા કરીને બીજાએ ગળેફાંસો ખાઇને જીવ ખોવો પડયો.

આ બાબતે રહસ્ય સાથે અનેક અટકળો વહેતી થઇ છે. બનાવનું કારણ જાણવા માટે પોલીસે બન્નેના પરિવારજનોને બોલાવીને પુછપરછ કરી હતી, પરંતુ કોઇ મહત્વની કડી મળી ન હતી. મિત્રો વચ્ચે એવું તો શું બન્યું કે બંનેને મરવું પડ્યું તેની તપાસ શરૂ રામપરામાં જ રહેતા અરવિંદ અને સંજયને પાક્કી મિત્રતા હતી. ગામમાં તો બન્ને સાથે જ રહેતા પરંતુ એવુ પણ કહેવામાં આવે છે કે, તેઓ બહારગામ પણ બાઇક પર સાથે જ જતા હતા. મંગળવારે બપોરે પણ ગામના લોકોએ બન્નેને સાથે જ વાડી તરફ જતા જોયા હતા, પરંતુ સાંજે લાશ મળી હતી. તપાસ કરી રહેલી પોલીસ ટીમે ઘટનાસ્થળે જઇ તપાસ કરી તો અરવિંદની લાશ લટકતી હતી. જ્યારે સંજયની લાશ ખાટલામાં હતી. પ્રથમ PM કરાવી લાશ સોંપી, બનાવના સ્થળેથી એક મસાલા સોડા જેવી ખાલી બોટલ અને ગ્લાસ મળી આવ્યા છે. બીજી કોઇ વસ્તુ મળી નથી. બપોરે બંને મિત્રોને બાઇક પર વાડીએ જતાં લોકોએ નિહાળ્યા હતા બંને મિત્રો ઓરડીએ આવ્યા હતા તે પણ લોકોએ જોયું હતું, પરંતુ લાંબા સમય સુધી તેઓ બહાર ન આવતા તપાસ કરાઈ હતી. જોકે, ઓરડી અંદરથી બંધ હતી. જેથી શંકા જતાં તપાસ કરાઇ હતી. ઓરડી બહાર બાઇક પણ પડયુ હતું. ઓરડી ખોલતા લાશ જોતા હત્યા-આપઘાતની શંકા સેવાઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.