ગઈકાલે જૂનાગઢના કેશોદમાં રાજકોટથી માંગરોળ જતી એસટીના બસનું પાછળનું ટાયર નીકળી ગયું હતું, સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, ત્યારબાદ અરવલ્લીમાં પણ એસટી બસને અકસ્માત નડ્યો હતો.
આજે મોડાસાના દધાલિયા રોડ પર વહેલી સવારે ગુજરાત એસટીની બસ પલટી ગઈ હતી. સામેથી આવતા બાઈકને સાઈડ આપવા જતાં એસટી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં સદ્દનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. તમને જણાવી દઈએ કે, બસમાં 50થી વધારે મુસાફરો સવાર હતા. જેમાંથી મોટા ભાગના સ્ટુડન્ટ હોવાનું બહાર આવ્યું છે.