માતાના મઢ અને રવાપર વચ્ચે આજે રવિવારે બપોરે સર્જાયેલા અકસ્માતમાં ૩ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ૮ લોકો ઘાયલ થયા છે. જીએમડીસી પાન્ધ્રો ખાતે ખાણમાં કામ કરતી આરપીએલ કંપનીના કર્મચારીઓ ઈસુઝુ કારમાં આવતા હતા ત્યારે માંડવીના સલાયાના દર્શનાર્થી સવાર તૂફાન જીપ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે દયાપર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઈસુઝુ કારમાં ૩ લોકો સવાર હતા તે પૈકી બે કર્મચારીના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે તૂફાન જીપમાં ૧૦થી વધારે લોકો સવાર હતા. માંડવીના સલાયાના લોકો લોકો કોરાશરીફની દરગાહ માથું ટેકવવા માટે ગયા હતા. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રીજી વ્યક્તિનું પણ મોત થયું છે.