જગવિખ્યાત જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં માતાજીના સ્ટેચ્યૂને લઈને વિવાદ વધતા વહીવટીતંત્રે હવે ફેરવી તોળ્યું છે. લોક જુવાળ બાદ હવે માતાજીના સ્ટેચ્યૂના બદલે શંકર ભગવાનની પ્રતિમા બનાવવાની વિચાર ણા કરાઈ રહી છે. શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે મા અંબાનું સ્થાન મંદિરમાં જ રહેશે જ્યાં થીમ પાર્ક બનવાનું છે ત્યાં શંકર ભગવાનના સ્ટેચ્યૂ અંગે જુદા જુદા રાજ્યોના સ્ટેચ્યૂ જોયા બાદ નિર્ણય લેવાશે.
અંબાજી દેવસ્થાન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રજાની સુખાકારી માટે અને યાત્રાળુઓની સગવડ ને ધ્યાનમાં લઈને તેમને અગવડ ના પડે અને અંબાજી દેવસ્થાનનાં સર્વાંગી વિકાસનાં કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
અંબાજીના વિકાસ માટે 28 જૂને મંત્રી વિભાવરીબેન દવેએ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.જેમાં અંબાજીના જુદાજુદા વિકાસલક્ષી કામો અને માતાજીના સ્ટેચ્યૂની ચર્ચા કરાઈ હતી. મિટિંગનો આ અહેવાલ માહિતી ખાતાની પ્રેસનોટ થકી પ્રસિદ્ધ કરાયો હતો.