પાલનપુર એલસીબીએ ૯ બાઈકો સહીત ૪ બાઈક ચોરોને ઝડપ્યા

જીલ્લા પોલીસ વડાની સુચના અનુસાર જીલ્લામાં બનતા વાહનચોરી, મિલકત સંબધીત, ગુનાઓ અટકાવવા બાબતે  પાલનપુર ક્રાઈમબ્રાન્ચની  ટીમ દ્વારા આજરોજ દીઓદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં  મિલકત સબંધિત ગુનાઓ બાબતે પેટ્રોલીંગમાં દરમ્યાન તેમને મળેલ બાતમીના આધારે કાન્તીજી છગનજી રહે.રાણકપુર, વનરાજજી અશોકજી ઠાકોર રહે.જાપટપુરા, તા.કાંકરેજ, કિરણભાઈ કરશનભાઈ રાજપુત રહે.લવાણા તા.લાખણી, રમેશભાઈ રામસુંગભાઈ જાષી રહે.શીરવાડા ને ઝડપી તેઓ પુછપરછ દરમ્યાન બાઈકો ચોરીના ગુના કબુલતાં તેમની પાસેથી ૯ જેટલાં ચોરીના બાઈકો કબજે લીધેલ છે. જેની અંદાજીત કિંમત રૂ.ર,૩૦, ૦૦૦ જેટલી થાય છે. જે મુદામાલ સાથે કબજે કરી ચારે ઈસમો વિરૂધ દિઓદર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવા જણાવેલ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.