બનાસકાંઠાના દિયોદરમાં પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ યુવકની હત્યા કરી, આજીવન કેદ

બનાસકાંઠાના દિયોદરમાં એક વર્ષ અગાઉ પત્નીના આડા સંબંધ મામલે વહેમ રાખી ગામના જ યુવકની કરપીણ હત્યા કરનાર શખ્સને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે.
 
મળતી માહિતી પ્રમાણે દિયોદર તાલુકાના બીયોકપુરા ગામે એક વર્ષ અગાઉ એક યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા આ લાશ ભેસાણા ગામના રાજુજી સરદારજી ઠાકોરનું હોવાનું માલુમ જણાયું હતું.
 
જે મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી . તપાસમાં બીયોકપુરા વિસ્તારમાં રહેતા જયંતીજી ઠાકોર નામના શખ્સે તેની પત્નીના આડા સંબંધ રાજુજી સાથે હોવાનો વહેમ રાખી તેની લાકડીના ઘા મારી હત્યા કરી હોવાનું ભર આવ્યું હતું.
 
જેથી પોલીસે આરોપી જયંતીજી ઠાકોરની સામે હત્યાનો ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. જે કેસ દિયોદરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વી. ડી. ઠાકોરની ધારદાર દલીલો, સંયોગીક પુરાવાઓ અને આરોપીનું કબૂલાતનામું સહિતના મુદ્દાઓને ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી અને રૂ. 5500નો દંડ ફટકાર્યો છે. હત્યારાને કડક સાંજ ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.